ગાંધીનગર : રાજ્યમાં કોરોના આજે નવા 18 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 48 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,12,405 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.07 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ 34,396 રસીના ડોઝ આજે અપાઇ ચુક્યાં છે. ગુજરાતમાં કોરોના હવે ધીરે ધીરે કાબુમાં આવી ચુક્યો હોય તેવું લાગી રહ્યું છે. જો કે જુના દિવસોને ભુલીને ફરી એકવાર કોરોનાને આમંત્રણ આપવા કરતા કોરોના સંપુર્ણપણે ખતમ ન થાય ત્યાં સુધી નાગરિકોએ નિયમોનુંપ ાલન કરતું રહેવું જોઇએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નરેશભાઈ ભાજપ પાર્ટીના શુભેચ્છક છે અને અંગત રીતે મારા સારા મિત્ર છે: સીઆર પાટીલ


બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં 384 એક્ટિવ કેસ છે. જે પૈકી 06 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 378 નાગરિકો સ્ટેબલ છે. આ ઉપરાંત 12,12,405 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કોરોના કારણે 10,939 નાગરિકોના મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. અમદાવાદ કોર્પોરેશનમાં 9, સુરત કોર્પોરેશન, વડોદરા અને વડોદરા કોર્પોરેસનમાં 2-2 કેસ નોંધાયા છે, દાહોદ, ખેડા અને સુરતમાં 1-1 કેસ નોંધાયા છે. 


ગોઝારો શુક્રવાર! નદીમાં ન્હાવા પડેલા 12 ડૂબ્યા, 10 ના મોત, પરિવારજનોમાં છવાયો માતમ


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 18 વર્ષથી વધારેની ઉંમરના 697 ને પ્રથમ જ્યારે 3920 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના નાગરિકો પૈકી 346 ને રસીનો પ્રથમ અને 3904 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ ઉપરાંત 1184 ને પ્રિકોર્શન ડોઝ જ્યારે 12-14 વર્ષના 24345 ને રસીનો પ્રથમ ડોઝ અપાયો હતો. 34,396 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10,45,92,897 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube