ગાંધીનગર : રાજ્યમાં આજે કોરોનાના નવા 19 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 22 દર્દીઓ સાજા પણ થયા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 8,15,838 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાનો આંકડો નહીવત્ત છે. જે રાજ્ય માટે ખુબ જ રાહતના સમાચાર છે. અત્રે નોંધનીય છે કે, છેલ્લા ઘણા દિવસોથી કોરોનાથી કોઇનું મોત થયું નથી અથવા તો 1 જ વ્યક્તિનું મોત થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેલૈયાઓ માટે ખરાબ સમાચાર: ગરબે રમીને સીધા ઘેર જતા રહેજો નહી તો પોલીસ મોર બોલાવશે


જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 176 એક્ટિવ કેસ છે. જે પૈકી 04 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 172 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8,15,383 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. અત્યાર સુધી કોરોનાને કારણે રાજ્યમાં કુલ 10085 નાગરિકોના મોત થઇ ચુક્યાં છે. જો કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું તે ખુબ જ રાહતના સમાચાર કહી શકાય. આજે રાજ્યના વલસાડમાં 5, અમદાવાદ કોર્પોરેશન 4, સુરત કોર્પોરેશન 3, જૂનાગઢમાં 2, જામનગર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન, સુરત, વડોદરામાં 1-1 કેસ નોંધાયા છે. 


પેટાચૂંટણી: શિવસેના તરફથી મોહન ડેલકરના પત્ની મેદાને, ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 5 ને રસીનો પ્રથમ ડોઝ જ્યારે 4569 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 34058 નાગરિકોને રસીનો પ્રથમ અને 92902 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 100713 નાગરિકોને રસીનો પ્રથમ અને 197847 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 4,30,094 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 6,37,58,795 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube