ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના કેસમાં ધીરે ધીરે વધારો થઇ રહ્યો છે. આજે રાજ્યમાં 20 નવા કેસ સામે આવ્યા છે. 28 દર્દી સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,485 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર પણ વધીને 98.75 ટકાએ પહોંચ્યો છે. સાંજે ચાર વાગ્યા સુધીમાં કુલ 4,86,262 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. તહેવારોની સિઝન છતા સરકાર યુદ્ધનાં ધોરણે રસીકરણ કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

RAJKOT માં દારૂ બાદ ઇંડા-નોનવેજ પણ બુટલેગરો પાસે મંગાવવું પડશે? રાજકોટ મેયરનો મહત્વનો આદેશ


જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં 209 એક્ટિવ કેસ છે. જે પૈકી 04 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 205 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8,16,485 નાગરિકોએ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. 10090 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે. જો કે આજે રાહતના સમાચાર કહી શકાય કે આજે એક પણ નાગરિકનું કોરોનાને કારણે મોત નથી થયું. અમદાવાદ કોર્પોરેશનમાં 4, વલસાડમાં 3, રાજકોટ, વડોદરા, જુનાગઢ કોર્પોરેશનમાં 2-2 અને ગાંધીનગર કોર્પોરેશન, કચ્છ, નવસારી, સાબરકાંઠા, સુરત કોર્પોરેશન, સુરેન્દ્રનગર અને વડોદરા 1-1 કેસ નોંધાયા છે. 


AHMEDABAD: તિજોરીનું હેન્ડલ તુટી જતા પૈસા તો બચી ગયા પણ 2 લોકોના જીવ ગયા


હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 7 ને રસીનો પ્રથમ જ્યારે 739 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 8749 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 114296 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષા નાગરિકો પૈકી 26169 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 336302 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 4,86,262 નાગરિકોનું આજના દિવસમાં રસીકરણ થયું છે. અત્યાર સુધીમાં કુલ 7,24,64,058 નાગરિકોનું રસીકરણ થયું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube