ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના કેસ એક અંક સુધી પહોંચીને ફરી એકવાર દ્વિઅંકી થઇ ચુક્યા છે. રાજ્યમાં આજે કોરોનાના 21 નવા કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 18 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે 8,15,890 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજે કુલ 3,74,745 રસીના ડોઝ અપાયા હતા. જેના કારણે રાજ્યનો કોરોના રિકવરી રેટ પણ સુધરીને 98.76 ટકાએ પહોંચી ચુક્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌરાષ્ટ્રમાં ઘરે આવેલા મહેમાનોએ આત્મહત્યા કરી લીધી, પોલીસ પણ કેસ જાણીને ચોંકી ઉઠી


રાજ્યમાં હાલમા કુલ 186 એક્ટિવ કેસ છે. જે પૈકી 06 નાગરિકો વેન્ટિલેટર પર છે. 180 નાગરિકો સ્ટેબલ છે. 8,15,890 નાગરિકો અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ થઇ ચુક્યા છે. 10086 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે. આજે અમદાવાદ કોર્પોરેશનમાં 6, નવસારીમાં 3, સુરત 3, જૂનાગઢ અને સુરત કોર્પોરેશનમાં 2-2 અને ખેડા, રાજકોટ કોર્પોરેશન, વડોદરા, વડોદરા કોર્પોરેશન અને વલસાડમાં 1-1 કેસ સામે આવ્યા છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે, આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત થયું નથી. 


VADODARA: પોલીસ નહી પરંતુ ડ્રોન આવ્યું અને પછી દેશી દારૂની ભઠ્ઠીઓમાં થઇ ભાગદોડ


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર ખુબ જ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 3,74,745 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. જે પૈકી હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 20 ને પ્રથમ જ્યારે 4829 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 34777 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 73156 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 106631 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 155332 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 6,54,01,063 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube