ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના કેસમાં ધીરે ધીરે પણ વધારો થઇ રહ્યો હોય તેવું ચિત્ર ઉભુ થઇ રહ્યું છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 21 કેસ સામે આવ્યા છે. તો બીજી તરપ 19 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,618 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે સાજા થવાનો દર પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં કુલ 1,44,317 રસીના ડોઝ આજના દિવસમાં અપાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાણી મુદ્દે બબાલ! બે સગા ભાઇઓએ ઘરમાં ઘુસીને પોતાન જ ભાઇ-ભાભી સાથે એવું કર્યું કે સંબંધો પર સવાલ ઉઠ્યા


જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 151 એક્ટિવ કેસ છે. જે પૈકી 03 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 148 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8,15,618 નાગરિકો ડિસ્ચાર્જ થઇ ચુક્યા છે. 10082 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત કોરોનાને કારણે થઇ ચુક્યા છે. જો કે એક પ્રકારે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. નવા આવેલા કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 21 કેસ પૈકી 7 કેસ અમદાવાદ કોર્પોરેશન, સુરત કોર્પોરેશનમાં 5, વડોદરા કોર્પોરેશન 4 અને અમરેલી, ભાવનગર, ખેડા, સુરત અને વલસાડમાં 1-1 કેસ નોંધાયા છે.


VADODARA: 7 કાચબા પર તાંત્રીક વિધિ અને પછી ચેતન પટેલના ઘરે થયો રૂપિયાનો વરસાદ અને..


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 11 વર્કર્સને રસીનો પ્રથમ અને 775 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. તો 45 વર્ષથી વધારેની ઉંમરના 21925 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 16203 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ ઉપરાંત 18-45 વર્ષના નાગરિકો પૈકી 59958 ને રસીનો પ્રથમ જ્યારે 45445 નાગરિકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 1,44,317 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 59,52,44,59 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube