ગાંધીનગર : રાજ્યમાં આજે કોરોનાના નવા 22 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 7 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,12,976 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.10 ટકાએ પહોંચી ચુક્યો છે. રાજ્ય સરકાર રસીકરણના મોરચે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજના દિવસમાં કુલ 6490 રસીના ડોઝ અપાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું હિંદૂઓ હવે પોતાનું પર્વ પણ નહી ઉજવી શકે? નાગરિકો બાદ હવે પોલીસ પર પણ પથ્થરમારો


બીજી તરફ જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 129 એક્ટિવ કેસ છે. જે પૈકી એક નાગરિક વેન્ટીલેટર પર છે. જ્યારે 128 દર્દી સ્ટેબલ છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં 12,12,976 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 10,942 નાગરિકોના મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે આજે એક પણ નાગરિકનું મોત નથી નિપજ્યું. નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો ગાંધીનગર કોર્પોરેશન 10, અમદાવાદ કોર્પોરેશનમાં 7, અને વડોદરા કોર્પોરેશન 5 કેસ નોંધાયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube