અમદાવાદ: રાજ્યમાં કોરોના વાયરસનું (Coronavirus) સંક્રમણનું પ્રમાણ ધીરે ધીરે ફરી વધી રહ્યું હતો તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કોરોનાના કુલ 2276 કેસ નોંધાયા હતા. બીજી તરફ 1534 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,83,241 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર ઘટીને 94.86 ટકા પર પહોંચી ચુક્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Surat: દાંડીયાત્રા નાકે પહોંચી અને તંત્ર હજી ઉંઘી રહ્યું છે, ઉછારી ગામમાં કાંટા છે


અત્યાર સુધીમાં કુલ 44,29,556 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 6,29,707 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થઇ ચુક્યું છે. આ પ્રકારે કુલ 50,58,626 લોકોને રસી આપવામાંઆવી છે. આજે 60 વર્ષથી વધારે વયના તેમજ 45-60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 2,98,973 વ્યક્તિઓને રસી આપવામાં આવી છે. જો કે હજી સુધી એક પણ વ્યક્તિમાં રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી. 


ભાવનગરના એક જ પરિવારના 7 સભ્યોએ એક જ દિવસે બેરિયાટ્રીક સર્જરી કરાવી


રાજ્યમાં કોરોનાના 2276 દર્દીઓ નોંધાયા છે. રાજ્યમાંથી 1534 દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 94.86 ટકા જેટલો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગ સધન પ્રયાસોના લીધે 2,86,241 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ કુલ 10871 કોરોનાના એક્ટિવ કેસ છે. 157 લોકો વેન્ટિલેટર પર છે. 10714 લોકો સ્ટેબલ છે. 2,83,241 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 4484 લોકોનાં અત્યાર સુધી રાજ્યમાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે. રાજ્યમાં કોરોનાને કારણે આજે કુલ 05 લોકોનાં મોત નિપજ્યાં છે. જેમાં સુરત કોર્પોરેશનનાં 2, અમદાવાદ, ભરૂચ અને ભાવનગર કોર્પોરેશનનાં 1-1 વ્યક્તિનો સમાવેશ થાય છે. આ પ્રકારે કુલ 5 લોકોનાં મોત નિપજ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube