ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના આજે નવા 23 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 14 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,740 નાગરિકોએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ સરકાર રસીકરણના મોરચે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 62,842 નાગરિકોનું રસીકરણ થયું હતું. અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં કેસમાં આસમાની સુલતાની જોવા મળી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

TMKOC ના નટુકાકાની અંતિમ વિદાય વખતે વ્યક્ત કરી અંતિમ ઇચ્છા, મારા મોત બાદ આવું જરૂર કરજો...


જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 180 કેસ છે. જે પૈકી 04 નાગરિકો વેન્ટીલેટર પર છે. 176 નાગરિકો સ્ટેબલ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,15,740 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. 10082 નાગરિકોના અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે. જો કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નથી થયું. સુરત કોર્પોરેશનમાં 8, અમદાવાદ કોર્પોરેશન 6, સુરત 3, વલસાડ 3, ખેડા, નવસારી અને વડોદરા કોર્પોરેશનમાં 1-1 કેસ સામે આવ્યા છે. 


શિક્ષકે 2 યુવતીઓને રૂમમાં બોલાવી કહ્યું, તમને SEX એજ્યુકેશન આપવાનું છે, ચલો તૈયાર થઇ જાઓ અને...


રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 3 ને રસીનો પ્રથમ ડોઝ અને 459 વર્કર્સને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 8824 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 7797 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 24741 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 21018 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં 62,842 કુલ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 6,14,44,354 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube