ગાંધીનગર: રાજ્ય (Gujarat) માં કોરોના તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના નવા માત્ર 23 કેસ જ નોંધાયા છે. તો બીજી તરફ 16 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં 8,14,972 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર પણ ઝડપથી સુધરી રહ્યો છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.76 પર પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણ (Vaccination) ના મોરચે પણ સરકાર ખુબ જ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 3,84,246 દર્દીઓનું રસીકરણ થયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો એક્ટિવ કેસ (Active Case) ની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 186 એક્ટિવ કેસ છે. જે પૈકી 08 વેન્ટીલેટર પર છે. 178 સ્ટેબલ છે. અત્યાર સુધી કોરોનાની સારવાર લઇને 8,14,972 નાગરિકો સાજા થઇ ચુક્યા છે. 10,078 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોના (Covid) ને કારણે મોત થઇ ચુક્યા છે. જો કે આજે કોરોનાને કારણે એકપણ મોત નિપજ્યું નથી. અમદાવાદ કોર્પોરેશનમાં 4, વડોદરા કોર્પોરેશનમાં 9, આણંદમાં 2, અરવલ્લીમાં 1, ભરૂચમાં 1, ભાવનગરમાં 1, દાહોદમાં 1, પોરબંદરમાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1 અને સુરતમાં 2 એમ કુલ 23 કેસ નોંધાયા છે.


આ પણ વાંચો:- અમે જનતાના સુખે સુખી અને જનતાના દુ:ખે દુ:ખી, સરકાર બનાવીને જનતાને ભૂલી નથી જતા: વિજય રૂપાણી


જો રસીકરણ (Vaccination) ની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 1 કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને 7,547 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 58,657 નાગરિકોને રસીનો પ્રથમ અને 1,01,005 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના 1,67,701 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 49,335 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 3,84,246 કુલ રસીના ડોઝ આજના દિવસમાં અપાયા છે. અત્યાર સુધીમાં 4,16,15,853 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube