ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાનો કહેર તબક્કાવાર કાબુમાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કોરોનાના આજે નવા 23 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 24 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધી 8,14,720 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જો કે રાજ્યના કોરોનાથી સાજા થનારા લોકોનાં દરમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.75 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ કોરોનાના રસીકરણના મોરચે પણ સરકાર ખુબ જ ઝડપથી લડી રહી છે. આજના દિવસમાં કુલ 5,93,263 લોકોનું રસીકરણ થયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PATAN માં કોર્પોરેટર અને ચીફ ઓફીસર વચ્ચે ફિલ્મી દ્રશ્યો, કોર્પોરેટર ખુરશી લઇને દોડ્યા અને...


રાજ્યમાં 204 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 લોકો વેન્ટીલેટર પર છે. 199 લોકો સ્ટેબલ છે. 8,14,720 નાગરિકો અત્યાર સુધી ડિસ્ચાર્જ થઇ ચુક્યા છે. 10077 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે. આજે તાપીમાં 01 દર્દીનું કોરોનાને કારણે મોત નિપજ્યું હતું. જો ઘણા દિવસોથી કોરોનાને કારણે કોઇ મોત નહોતા થયા પરંતુ આજે એક દર્દીનું કોરોનાને કારણે મોત નિપજ્યું તે ચિંતાજનક બાબત છે. 


કોરોનાને નામે સરકારને બાનમાં લેનારા હડતાળીયા ડોક્ટર્સ વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ, હોસ્ટેલ ખાલી કરવા આદેશ


જો રસીકરણની વાત કરીએ તો હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 65 વર્કર્સને પ્રથમ અને 6612 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 135057 નાગરિકોને રસીનો પ્રથમ અને 72103 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષનાં 354618 નાગરિકોને રસીનો પ્રથમ અને 24808 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 5,93,263 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 3,55,94,297 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube