ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના નવા 24 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 30 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,13,806 દર્દી કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.09 ટકા સુધી પહોંચી ચુક્યો છે. બીજી તરફ કોરોનાના રસીકરણ મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કોરોનાના કુલ 1,97,839 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુવતીએ કહ્યું, તુ તો જંગલી છે આજે મારા ઘરે કોઇ નથી તારૂ જંગલી પણું દેખાડી દે


બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 182 એક્ટિવ કેસ છે. જે પૈકી કોઇ પણ નાગરિક વેન્ટિલેટર પર નથી. તમામ 182 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 12,13,806 નાગરિકો કોરોનાને હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ 10,944 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 16, વડોદરા કોર્પોરેશનમાં 4, ભાનગર કોર્પોરેશનમાં 2, અમદાવાદ અને કચ્છમાં 1-1 કેસ નોંધાયા છે. 


હપ્તા આપોને મોજ કરો: દમણમાં પેરાસેલિંગનો ભયાનક વીડિયો જોઇને તમારા રૂંવાડા ઉભા થઇ જશે


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 2607 નાગરિકોને રસીનો પ્રથમ અને 64254 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના નાગરિકો પૈકી 1598 ને રસીનો પ્રથમ અને 14932 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 76209 ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો. 12-14 વર્ષના નાગરિકો પૈકી 3105 ને રસીનો પ્રથમ અને 35134 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 1,97,839 કુલ રસીના ડોઝ અને અત્યાર સુધીમાં કુલ 10,94,68,175 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube