ગાંધીનગર : ગુજરાતમાં કોરોના તબક્કાવાર કાબુમાં આવી રહ્યો છે. આજે રાજ્યમાં કોરોનાના નવા 25 કેસ સામે આવ્યા છે. જો કે દર્દીઓનો રિકવર થવાની સંખ્યા ઘટી છે. આજે માત્ર 14 દર્દીઓ જ રિકવર થયા છે. અત્યાર સુધીમાં 8,14,761 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાના દરમાં 98.75 ટકાએ પહોચ્યો છે. રસીકરણના મોરચે પણ સરકાર ખુબ જ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 3,85,461 નાગરિકોનું આજના દિવસમાં રસીકરણ કરવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Vapi ના બિલ્ડરના અપહરણ અને લૂંટનો ભેદ ઉકેલાયો, માત્ર મારવાડીને જ બનાવતા હતા નિશાન


જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 207 એક્ટિવ કેસ છે. જે પૈકી 06 લોકો વેન્ટીલેટર પર છે. જ્યારે 201 દર્દીઓ સ્ટેબલ છે. 8,14,761 નાગરિકો અત્યાર સુધી ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. 10077 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે આજે એક પણ દર્દીનું કોરોનાને કારણે મોત થયું નથી. 


ખાનગી શાળાઓની ફી મુદ્દે દાદાગીરી અંગે શિક્ષણમંત્રીનું સૌથી મોટું નિવેદન, હવે ખેર નથી


જો કે સરકાર રસીકરણના મોરચે પણ મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 68 કર્મચારીને રસીનો પ્રથમ ડોઝ અને 8498 કર્મચારીઓને રસીનો બીજો ડોઝ અપાયો છે. 45થી વધારે ઉંમરના 45411 નાગરિકોને રસીનો પ્રથમ અને 154836 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો છે. 18-45 વર્ષનાં 135991 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 40657 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 3,85,461 રસીના ડોઝ એક દિવસમાં અપાયા છે. અત્યાર સુધીમાં કુલ 3,65,81,478 નાગરિકોનું કુલ રસીકરણ થઇ ચુક્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube