અમદાવાદ: રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણનું પ્રમાણ દિવસેને દિવસે ઘટી રહ્યુ છે. આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 258 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 270 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે એક પણ વ્યક્તિનું કોરોનાથી મોત થયું નથી. જો કે રાજ્યમાં અત્યાર સુધીના કુલ રિકવર દર્દીઓ 2,60,745 છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 4,404 પર પહોંચ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્યાર સુધીમાં કુલ 8,12,333 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 51,236 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.


આ પણ વાંચો:- તાંત્રીકે ચાદર પર 10ની નોટ મુકીને 110 રૂપિયા કરી દીધા અને વેપારીએ આપી દીધા 21 લાખ રૂપિયા


રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની અસરકારક અને પરિણામલક્ષી કામગીરીના પરિણામે કોરોના કેસોમાં ઉત્તરોત્તર ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આજે અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, ડાંગ, જામનગર, પાટણ, પોરબંદર, સુરેન્દ્રનગર અને તાપી એમ કુલ 10 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.


રાજ્યમાં કોવિડ-19ના 258 દર્દીઓ નોંધાયા છે. અને રાજ્યભરમાંથી 270 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યનો રીકવરી રેટ 97.72 ટકા જેટલો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 2,60,745 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.


આ પણ વાંચો:- ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અગાઉ કાઠી સમાજનો ચૂંટણી બહિષ્કાર


જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1,672 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 29 છે. જ્યારે 1,643 લોકો સ્ટેબલ છે. 2,60,745 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 4,404 લોકોનાં મોત નિપજ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube