ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના નવા 26 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 20 દર્દીઓ રિકવર થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,929 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે ગુજરાતનો કોરોના રિકવરી રેટ પણ સુધરીને 98.76 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 2,85,840 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 195 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 નાગરિકો વેન્ટીલેટર પર છે. 190 સ્ટેબલ છે. 8,15,929 નાગરિકો અત્યાર સુધીમાં કોરોનાને હરાવી ચુક્યા છે. 10086 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને મોત નિપજ્યાં છે. આજે એક પણ વ્યક્તિનું મોત થયું નથી. અમદાવાદ કોર્પોરેશન અને વલસાડમાં 6-6 કેસ આવ્યા છે. જુનાગઢમાં 5 કેસ આવ્યા છે. સુરત કોર્પોરેશનમાં 4 કેસ આવ્યા છે. વડોદરામાં 3 કેસ આવ્યા છે. જ્યારે ખેડા અને નવસારીમાં 1-1 કેસ સામે આવ્યા છે. આ પ્રકારે કુલ 26 કેસ આવ્યા છે.


રાવણ દહન કાર્યક્રમ મામલે હર્ષ સંઘવીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું ગૃહ રાજ્યમંત્રીએ


રસીકરણના મોરચે પણ સરકાર સતત મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 2 ને પ્રથમ જ્યારે 2980 વર્કર્સને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 24812 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 55988 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષ સુધીના 79149 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 1,22,909 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે કુલ 2,85,840 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં 6,59,98,048 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube