ગાંધીનગર : ગુજરાતમાં કોરોના સંક્રમણ હવે લગભગ કાબુમાં આવી ચુક્યું છે. તો બીજી તરફ રસીકરણ પણ જોરશોરથી ચાલી રહ્યું છે. આજે રાજ્યમાં કુલ 2,55,046 લોકોને રસી આપવામાં આવી. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનાં દરમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 97.90 ટકાએ પહોંચી ચુક્યો છે. રાજ્યમાં આજે કોરોનાનાં નવા 262 કેસ નોંધાયા છે. રાજ્યમાં 776 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,04,668 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં કુલ એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ રાજ્યમાં કુલ 7230 કોરોનાના કુલ એક્ટિવ કેસ છે. 198 લોકો વેન્ટિલેટર પર છે. 7032 લોકો સ્ટેબલ છે. 804668 લોકોને અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. આજે રાજ્યમાં કુલ 05 લોકોનાં મોત નિપજ્યાં છે. 10023 લોકોનાં કુલ મોત નિપજ્યાં છે. 


બીજી તરફ સરકાર રસીકરણ અભિયાન પણ જોરશોરથી ચલાવાઇ રહ્યું છે.આજના દિવસમાં ગુજરાતમાં હેલ્થકેર વર્કર્સ પૈકી 752 ને પ્રથમ,3084 ને બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. તો બીજી તરફ 34981 નાગરિકોને પ્રથમ અને 34685 નાગરિકોને બીજો ડોઝ અપાયો હતો. જ્યારે 18-45 વર્ષનાં કુલ 180083 નાગરિકોને પ્રથમ અને 1411 નાગરિકોને બીજો ડોઝ અપાયો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube