ગાંધીનગર : ગુજરાતમાં આજે કોરોનાના નવા 27 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 34 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,954 નાગરિકો કોરોનાને મ્હાત પણ આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો ગુજરાતનો રિકવરી રેટ વધીને 98.74 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ કોરોના રસીકરણ મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજના દિવસમાં 5,08,726 ડોઝ રસીના આપવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હસમુખ પટેલ સાથે EXCLUSIVE વાતચીત : LRD-PSI ના ઉમેદવારો આજે જ મળશે કોલ લેટર પણ આ કારણે થઇ રહ્યું છે મોડું


ગુજરાતમાં હાલની કોરોનાની સ્થિતિની વાત કરીએ તો રાજ્યમાં કુલ 308 એક્ટિવ કેસ છે. જે પૈકી 04 નાગરિકો વેન્ટીલેટર પર છે. 304 દર્દીઓ સ્ટેબલ છે. 8,16,954 નાગરિકો અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. 10092 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે.  જો કે રાહતના સમાચાર છે કે, આજે એક પણ નાગરિકનું કોરોનાને કારણે મોત નથી થયું. અમદાવાદ કોર્પોરેશનમાં 9, વડોદરા કોર્પોરેશન 5, રાજકોટ કોર્પોરેશન 4, સુરત કોર્પોરેશન 3, ભાવનગર કોર્પોરેશન 2, નવસારી 2, ગાંધીનગર અને રાજકોટમાં 1-1 નવા કેસ સામે આવ્યા છે. આ પ્રકારે ગુજરાતમાં કુલ 27 કેસ સામે આવ્યા છે. 


SOMNATH ની આ સંસ્થાએ કર્યો ચમત્કાર, પુત્રની આશા ગુમાવી બેઠેલા પરિવારને પુત્ર સાથે મિલન કરાવ્યું


જો રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 10 ને રસીનો પ્રથમ, 2182 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 13803 નાગરિકોને રસીનો પ્રથમ અને 125585 નાગરિકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 40444 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 326702 નાગરિકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. આજના દિવસમાં કુલ 5,08,726 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 7,94,60,929 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube