અમદાવાદ : ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના 31 નવા કેસ આવ્યા હતા. જ્યારે 49 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં 8,14,356 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા 98.74 ટકાએ પહોંચી છે. તો બીજી તરફ સરકાર રસીકરણનાં મોરચે પણ મજબુતીથી લડી રહી છે. આજે કુલ 1,75,971 લોકોનું એક જ દિવસમાં રસીકરણ કરવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં દિલધડક લૂંટ બાદની રસાકસીના દ્રશ્યો, 2 કરોડની દિલધડક લૂંટના વીડિયો જોઇ ચોંકી ઉઠશો


જો એક્ટિવ દર્દીની વાત કરીએ તો રાજ્યમાં કુલ 312 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 વેન્ટીલેટર પર છે જ્યારે 307 સ્ટેબલ છે. 8,14,356 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યા છે. 10076 લોકોનાં અત્યાર સુધી કોરોનાને કારણે મોત નિપજ્યાં છે. જો કે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નથી થયું. જે ગુજરાત માટે રાહતનાં સમાચાર ગણી શકાય.


Vadodara: 'હું પ્રેસમાં છું તને બદનામ કરી નાખીશ' કહી યુવતિની કરી છેડતી, વાળ પકડી ગડદાપાટુનો માર્યો માર


જો રસીકરણની વાત કરીએ તો આજના દિવસમાં હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વોરિયર્સ પૈકી 93 લોકોને રસીનો પ્રથમ અને 4728 ને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 22999 નાગરિકોને રસીનો પ્રથમ અને 33796 દર્દીઓને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષની ઉંમરના 67698 લોકોને રસીનો પ્રથમ અને 46657 લોકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 1,75,971 લોકોને રસી અપાઇ હતી. અત્યાર સુધીમાં 3,18,06,252 લોકોનું રસીકરણ થઇ ચુક્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube