ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના નવા 32 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 31 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,13,716 દર્દી કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.09 ટકા સુધી પહોંચી ચુક્યો છે. બીજી તરફ કોરોનાના રસીકરણ મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કોરોનાના કુલ 91,355 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોટાદમાં જમીન પર ચાલવા જેવા મુદ્દે પિત્રા પુત્રએ એક વ્યક્તિની હત્યા કરી નાખી


બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 205 એક્ટિવ કેસ છે. જે પૈકી 02 નાગરિક વેન્ટિલેટર પર છે. તમામ 203 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,13,716 નાગરિકો કોરોનાને હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ 10,944 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. અમદાવાદ કોર્પોરેશનમાં 19, વડોદરા કોર્પોરેશન 8 અને ગાંધીનગર કોર્પોરેશન 3, અમદાવાદ અને સુરતમાં 1-1 કેસ નોંધાયા છે.


કસુંબીનો રંગ ગાતા-ગાતા કે. રાજેશે ગુજરાત અને ગુજરાતીઓના તમામ પ્રકારના રસ નિચોવી લીધા, કરોડોનું કૌભાંડ


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 811 નાગરિકોને રસીનો પ્રથમ અને 21774 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના નાગરિકો પૈકી 139 ને રસીનો પ્રથમ અને 8545 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 38390 ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો. 12-14 વર્ષના નાગરિકો પૈકી 1170 ને રસીનો પ્રથમ અને 20526 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 91,355 કુલ રસીના ડોઝ અને અત્યાર સુધીમાં કુલ 10,86,02,860 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube