ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના નવા 32 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 33 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,13,658 દર્દી કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.09 ટકા સુધી પહોંચી ચુક્યો છે. બીજી તરફ કોરોનાના રસીકરણ મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કોરોનાના કુલ 35,035 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

JAMNAGAR માં વિચિત્ર વાયરસનો પગપેસારો, આખલો પણ મિનિટોમાં હાંફીને પડી જાય છે


બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 212 એક્ટિવ કેસ છે. જે પૈકી 02 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 210 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,13,658 નાગરિકો હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ 10,944 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. અમદાવાદ કોર્પોરેશનમાં 20, વડોદરા કોર્પોરેશન 8, જામનગર કોર્પોરેશન 2, સુરત અને વોડાદરામાં 1-1 કેસ નોંધાયા હતા. 


જ્ઞાનવાપી મસ્જિદમાં મળેતા શિવલિંગ બાબતે વાણી વિલાસ કરનાર AIMIM ના નેતા દાનિશ કુરેશીની અટકાયત


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 729 નાગરિકોને રસીનો પ્રથમ અને 12571 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના નાગરિકો પૈકી 91 ને રસીનો પ્રથમ અને 1234 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 7863 ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો. 12-14 વર્ષના નાગરિકો પૈકી 1052 ને રસીનો પ્રથમ અને 11495 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 35,035 કુલ રસીના ડોઝ અને 10,84,75,771 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube