ગાંધીનગર : કોરોનાના આંકડા ગુજરાતમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. નિષ્ણાંતો દ્વારા વ્યક્ત કરાયેલી ભીતિ કે જુન-જુલાઇમાં કોરોનાની વધારે એક લહેર આવી શકે છે સાચી ઠરશે કે શું તેવા સવાલો થઇ રહ્યા છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 35 કેસ નોંધાયા છે. બીજી તરફ 12 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,13,502 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.09 ટકાએ પહોંચી ચુક્યો છે. જો કો રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં રસીના આજે કુલ 33,994 ડોઝ અપાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ઘેર ઘેર હથિયારો પહોંચાડવાનો ટાર્ગેટ હતો? ATS દ્વારા મસમોટા ષડયંત્રનો પર્દાફાશ


જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 211 કેસ એક્ટિવ છે. જે પૈકી 02 નાગરિકો વેન્ટિલેટર પર છે. 209 નાગરિકો સ્ટેબલ છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં 12,13,502 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. જો કે કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ 10,944 નાગરિકોનાં મોત પણ થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે, આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી નિપજ્યું. નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 23, વડોદરા કોર્પોરેશન 7, ખેડામાં 2, ગાંધીનગર, સુરત કોર્પોરેશન અને વડોદરામાં 1-1 કેસ નોંધાયા હતા. 


કેરી બાદ હવે ચીકુના વેપારીએ પણ રાતે પાણીએ રોવાનો વારો આવ્યો, મફતના ભાવે પણ કોઇ લેવા તૈયાર નથી


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 18 વર્ષથી વધારેની ઉંમરના 733 ને પ્રથમ તથા 14762 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના કિશોરો પૈકી 122 ને પ્રથમ અને 1860 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ ઉપરાંત 5826 ને પ્રિકોર્શન ડોઝ અપાયો હતો. 12-14 વર્ષના તરૂણો પૈકી 1527 ને રસીનો પ્રથમ અને 9164 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે કુલ 33,994 કુલ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 10,83,52,935 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube