ગાંધીનગર : રાજ્યમાં 2,63,630 લોકોનુ આજના દિવસમાં રસીકરણ કરવામાં આવ્યું. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનાં દરમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યનો રિકવરી રેટ 97.70 ટકાએ પહોંચ્યું છે. જ્યારે કોરોનામાં નવા 352 કેસ નોંધાયા. જ્યારે 1006 દર્દીઓ સાજા થયા. અત્યાર સુધીમાં કુલ 8,02,187 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં કોરોનાના સતત ઘટી રહેલા આંકડા
જો એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ 8884 કુલ એક્ટિવ કેસ છે. જે પૈકી 219 લોકો વેન્ટીલેટર પર છે. 8665 લોકો સ્ટેબલ છે. 802187 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. 10007 લોકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે ગુજરાતમાં કોરોનાને કારણે 04 લોકોનાં મોત નિપજ્યાં છે. 


ગુજરાતમાં કોરોનાના રસીકરણ જોરશોરથી યથાવત્ત
જો રસીકરણની વાત કરીએ રાજ્યમાં અત્યાર સુધી 1282 હેલ્થ વર્કર્સને પ્રથમ અને 2462 લોકોને બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45થી વધારેની ઉંમરના 41751 લોકોને પ્રથમ ડોઝ અને 28055 લોકોને બીજો ડોઝ અપાયો છે. 18-45 વર્ષના 187214 લોકોને પ્રથમ અને 2866 લોકોને બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube