ગાંધીનગર : કોરોનાના આંકડા ગુજરાતમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. નિષ્ણાંતો દ્વારા વ્યક્ત કરાયેલી ભીતિ કે જુન-જુલાઇમાં કોરોનાની વધારે એક લહેર આવી શકે છે સાચી ઠરશે કે શું તેવા સવાલો થઇ રહ્યા છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 37 કેસ નોંધાયા છે. જે અગાઉ 27 હતા. બીજી તરફ 15 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,13,416 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.09 ટકાએ પહોંચી ચુક્યો છે. જો કો રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં રસીના આજે કુલ 11,399 ડોઝ અપાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વની સૌપ્રથમ ઘટના: જૂનાગઢમાં અંધ થઇ ગયેલા સિંહને નવી દ્રષ્ટી આપી જીવન બચાવી લેવાયું


જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 147 કેસ એક્ટિવ છે. જે પૈકી 02 નાગરિકો વેન્ટિલેટર પર છે. 145 નાગરિકો સ્ટેબલ છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં 12,13,416 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. જો કે કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ 10,944 નાગરિકોનાં મોત પણ થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે, આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી નિપજ્યું. નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 34, અમદાવાદ, જામનગર અને વડોદરામાં 1-1 કેસ નોંધાયા છે. 


વાપીના દરેક નાગરિક અને ઉદ્યોગપતિને સતાવતી સૌથી મોટી સમસ્યાનો આવશે ઉકેલ, સરકારની મોટી જાહેરાત


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 18 વર્ષથી વધારેની ઉંમરના 149 ને પ્રથમ તથા 2389 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના કિશોરો પૈકી 58 ને પ્રથમ અને 792 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ ઉપરાંત 2041 ને પ્રિકોર્શન ડોઝ અપાયો હતો. 12-14 વર્ષના તરૂણો પૈકી 1815 ને રસીનો પ્રથમ અને 4155 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે કુલ 11,399 કુલ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 10,81,69,178 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube