ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના નવા 37 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 31 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,13,951 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.09 ટકા સુધી પહોંચી ચુક્યો છે. બીજી તરફ કોરોનાના રસીકરણ મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કોરોનાના કુલ 75,610 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 200 એક્ટિવ કેસ છે. જે પૈકી કોઇ પણ નાગરિક વેન્ટિલેટર પર નથી. તમામ 200 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 12,13,951 નાગરિકો કોરોનાને હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ 10,944 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 18, વડોદરા કોર્પોરેશનમાં 9, અમદાવાદમાં 3, ગાંધીનગર કોર્પોરેશનમાં 2, આણંદ, ભરૂચ, ભાવનગર કોર્પોરેશન, મહેસાણા અને સુરત કોર્પોરેશનમાં 1-1 કેસ થઇને કુલ 37 કેસ નોંધાયા છે. 


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 1032 નાગરિકોને રસીનો પ્રથમ અને 29019 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના નાગરિકો પૈકી 474 ને રસીનો પ્રથમ અને 2955 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 25132 ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો. 12-14 વર્ષના નાગરિકો પૈકી 1215 ને રસીનો પ્રથમ અને 15783 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 75,610 કુલ રસીના ડોઝ અને અત્યાર સુધીમાં કુલ 10,98,91,289 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.