* GUJARAT CORONA UPDATE: રાજ્યમાં નવા 3794 કેસ, 8734 રિકવર થયા, 53 લોકોનાં મોત
ગાંધીનગર : રાજ્યમાં આજે કુલ 1,68,247 લોકોનું રસીકરણ આજે કરવામાં આવ્યું. રાજ્યમાં કોરોનાના કેસ ધીરે ધીરે ઓછા થઇ રહ્યા છે તો સાજા થવાનાં દરમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આજે 8734 લોકો સાજા થયા હતા. જેના પગલે રિકવરી રેટ વધીને 89.26 પર પહોંચ્યો હતો. જ્યારે રાજ્યમાં 3794 કોરોનાના નવા કેસ નોંધાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,03,760 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જો રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 75134 કેસ છે. 652 લોકો વેન્ટિલેટર પર છે. 74482 સ્ટેબલ છે. આ ઉપરાંત 7,03,760 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. રાજ્યમાં કુલ 9576 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 53 લોકોનાં મોત નિપજ્યાં છે. 


જો કે રસીકરણનાં મોરચે પણ સરકાર સતત લડી રહી છે. રાજ્યનાં કુલ 1957 ફ્રન્ટલાઇન વર્કર્સને રસીનો પ્રથમ ડોઝ જ્યારે 3890 લોકોને બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારે ઉંમરના 1,07,609 લોકોને પ્રથમ અને 15456 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. જ્યારે 39336 યુવાનોને કોરોનાનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube