ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના નવા 38 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 37 દર્દી રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,300 અત્યાર સુધીમાં કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ 98.74 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણ મુદ્દે પણ સરકાર મજબુતીથી આગળ વધી રહી છે. આજે કુલ રસીના 3,09,999 ડોઝ આપવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમે બેંકમાં FD કરાવી હોય તો વાંચજો, તમે નાણાની રાહ જોતા રહેશો અને મોજ કોઇક બીજું જ કરી જશે


હાલ રાજ્યમાં કુલ 350 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 345 નાગરિકો સ્ટેબલ છે. બીજી તરફ 8,17,300 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10095 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતની વાત છે કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. અમદાવાદ કોર્પોરેશનમાં 9, વડોદરા કોર્પોરેશન 8, નવસારી 4, વલસાડ 4, સુરત કોર્પોરેશન 3, અમદાવાદ, આણંદ, અરવલ્લી, ભાવનગર કોર્પોરેશ, ગાંધીનગર કોર્પોરેશન, મહીસાગર, મહેસાણા, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન અને સુરતમાં 1-1 કેસ નોંધાયા હતા. 


અમેરિકા પણ જે ના કરી શક્યું તે GUJARAT સરકારે કરી બતાવ્યું, આંકડા જોઇ છાતી ગજગજ ફૂલશે


હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 17 ને રસીનો પ્રથમ, 1006 વર્કરને રસીનો બીજો ડોઝ, 45 વર્ષથી વધારે ઉંમરના 10504 નાગરિકોને રસીનો પ્રથમ, 70247 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 34450 નાગરિકોને રસીનો પ્રથમ, 193775 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 3,09,999 રસીના ડોઝ જ્યારે કુલ 8,31,43,718 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube