India Covid 19 Virus Case Latest Update : દુનિયાના 40થી વધુ દેશોમાં ફેલાઈ ચૂકેલો કોવિડનો નવો વેરિયન્ટ હવે ભારતની ચિંતા વધારી રહ્યો છે. કોવિડનું નવું સ્વરૂપ ચીન બાદ હવે ભારતમાં પણ જોખમ વધારી રહ્યું છે. કેમ કે મૃત્યુઆંક ધીમા પગલે વધી રહ્યો છે. ગુજરાતે સાવચેત રહેવાની જરૂર એટલા માટે છે કેમ કે દેશમાં JN.1 વેરિયન્ટના સૌથી વધુ કેસ રાજ્યમાં જ નોંધાયા છે. કેન્દ્રમાંથી મળેલા લેટેસ્ટ અપડેટ અનુસાર, દેશમાં કોરોનાના વધુ 797 કેસ નોંધાયા છે. જેમાં 5 લોકોએ જીવ ગુમાવ્યા છે. કેરળમાં બે, મહારાષ્ટ્ર, પોંડીચેરી અને તમિલનાડુમાં એક એક દર્દીના મૃત્યુ થયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 4 હજાર 91 પર પહોંચ્યો છે. ગુજરાતવાસીઓ એલર્ટ પર આવી જવુ જોઈએ. કારણ કે, રાજ્યમાં કોરોનાના નવા વેરિઅન્ટનો આંકડો 40ને વટાવી ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઠંડીને કારણે વધ્યા કોરોનાના કેસ
હાલ કહી શકાય કે ઠંડીને કારણે કોરોનાના કેસમાં એકાએક ઉછાળો આવ્યો છે. વર્ષ 2020 ની શરૂઆતથી લગભગ ચાર વર્ષોમાં દેશભરમાં કોરોના વાયરસથી લગભગ સાડા ચાર કરોડથી વધુ લોકો સંક્રમિત થયા છે અને 5.30 લાખથી વધુ લોકોના મોત નિપજ્યા છે. સ્વાસ્થય મંત્રાલયના લેટેસ્ટ અપડેટ અનુસાચર, આ બીમારીથી રિકવર થનારા લોકોની સંખ્યા વધીને 4.4 કરોડ થઈ ગઈ છે. સ્વસ્થ થવાની ટકાવારા 98.81 પર પહોંચી ગઈ છે. 


દારૂબંધી હટ્યા બાદ ગિફ્ટ સિટીમાં પ્રોપર્ટીના ભાવમાં ઉછાળો, આ ભાવે વેચાઈ રહી છે ઓફિસ


ગુજરાતમાં કેટલા કેસ 
ગુજરાતમાં JN.1ના વેરિએન્ટના 40 કેસ છે, પરંતુ રાહતની વાત એ છે કે 22 દર્દી સાજા થયા છે અને 14 દર્દીઓ હોમ આઈસોલેશન હેઠળ છે. જો કે આ નવા વેરીએન્ટને કારણે અમદાવાદમાં  82 વર્ષીય વૃદ્ધાનું મૃત્યુ પણ થયું હતું, સાથે જ શહેરમાં કોરોનાં કેસમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. 


આખા ગુજરાતમા રીક્ષા ચોરી તરખાટ મચાવનાર ચોર પકડાયો, મજબૂરીમાં બન્યો હતો રીક્ષા ચોર