ગાંધીનગર : ગુજરાતમાં આજે કોરોનાનાં કુલ 1,17,524 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. જ્યારે નવા 4251 કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યના સાજા થવાનો દર 87.97 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાના દર્દીઓના સાજા થવાનાં દરમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે 8783 દર્દીઓ સાજા થયા. અત્યાર સુધી 6,86,581 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો 84,421 એક્ટિવ કેસ છે. 692 લોકો વેન્ટિલેટર પર છે. 83729 લોકો સ્ટેબલ છે. 6,86,581 લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં કોરોનાને કારણે કુલ 9469 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 65 લોકોનાં મોત નિપજ્યાં છે. 


અત્રે નોંધનીય છે કે, કોરોના ગુજરાતમાં તબક્કાવાર કોરોના કાબુમાં આવી રહ્યો છે. એક તબક્કે ગુજરાતમાં 14 હજારની આસપાસ કેસ આવી રહ્યા હતા. જો કે હવે કેસ સંપુર્ણ કાબુમાં છે. સરકાર દ્વારા તબક્કાવાર હવે લગવાયેલા પ્રતિબંદો પણ હટાવવામાં આવી રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube