ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો આવી રહ્યો છે. આજે રાજ્યમાં માત્ર 486 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 1419 દર્દીઓ સાજા પણ થયા હતા. અત્યાર સુધીમાં કુલ 12,03,508 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજે રાજ્યમાં કોરોનાની રસીના કુલ 1,60,094 ડોઝ આપવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંધીનગરકાંડ: સગીરા સાથે નદીની કોતરમાં સેક્સ માણવા દરમિયાન આ મુદ્દે માથાકુટ થતા છરી મારી દીધી...


બીજી તરફ જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં 5790 એક્ટિવ કેસ છે. જે પૈકી 42 વેન્ટીલેટર પર છે. જ્યારે 5748 નાગરિકો સ્ટેબલ છે. 1203508 નાગરિકો અત્યાર સુધીમાં ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. 10887 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 13 નાગરિકોનાં મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 1, વડોદરા કોર્પોરેશનમાં 4, વડોદરામાં 1, મહેસાણામાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1, રાજકોટમાં 1, ભરૂચમાં 2 અને પંચમહાલના 2 દર્દીઓનો સમાવેશ થાય છે. 


ગુજરાતમાં શિક્ષકોની ચાંદી જ ચાંદી, 10000 પોસ્ટ પર કોઇ પરીક્ષા વગર સીધું જ પોસ્ટિંગ


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 20 ને રસીનો પ્રથમ જ્યારે 24 ને બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 2187 ને પ્રથમ 12420 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 11076 ને પ્રથમ અને 49307 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના તરૂણો પૈકી 13591 ને પ્રથમ અને 52835 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે અને 18634 ને પ્રિકોર્શન ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજે કુલ 1,60,094 ડોઝ આજના દિવસમાં અને અત્યાર સુધીમાં કુલ 10,20,84,403 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube