ગાંધીનગર : રાજ્યમાં આજે કોરોનાના નવા માત્ર 5 જ કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 89 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ 12,12,792 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવી રેટ પણ સુધરીને 99.09 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 96,459 રસીના ડોઝ અપાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આંગણવાડી વર્કરોએ સરકાર સામે બાંયો ચઢાવી, 8 હજાર રૂપિયામાં 18 કલાક કામ કરાવે છે સરકાર


એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 150 એક્ટિવ કેસ છે. જે પૈકી 02 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 148 નાગરિકો સ્ટેબલ છે. તો બીજી તરફ 12,12,792 નાગરિકો ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. જો કે અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 10942 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. નવા આવેલા કેસમાં 2 મહેસાણા, 2 વડોદરા અને અમદાવાદ કોર્પોરેશનમાં 1 કેસ નોંધાયો છે. 


હવે ગુજરાતી ખેડૂતો પણ લડી લેવાના મૂડમાં, હજારો ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી સરકારનું નાક દબાવ્યું


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 18 વર્ષથી વધારેની ઉંમરના 2786 ને રસીનો પ્રથમ જ્યારે 18476 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના નાગરિકો પૈકી 1648 ને પ્રથમ અને 6035 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15447 ને પ્રીકોર્શન ડોઝ જ્યારે 12-14 વર્ષના તરૂણો પૈકી 52067 ને પ્રથમ ડોઝ અપાય હતો. આ પ્રકારે કુલ 96,459 રસીના ડોઝ આજના દિવસમાં જ્યારે અત્યાર સુધીમાં કુલ 10,60,07,882 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube