ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના નવા 56 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 30 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,14,157 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 99.08 ટકા સુધી પહોંચી ચુક્યો છે. બીજી તરફ કોરોનાના રસીકરણ મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કોરોનાના કુલ 46,412 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

SURAT માં ST ના મેનેજરનો પાસવર્ડ ચોરીને સરકારને કરોડોનો ચુનો ચોપડ્યો


બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 293 એક્ટિવ કેસ છે. જે પૈકી કોઇ પણ નાગરિક વેન્ટિલેટર પર નથી. તમામ 293 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,14,157 નાગરિકો કોરોનાને હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ 10,944 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 26, વડોદરા કોર્પોરેશનમાં 8, ગાંધીનગર કોર્પોરેશન 4, જામનગર કોર્પોરેશન 4, સુરત કોર્પોરેશન 4, રાજકોટ કોર્પોરેશનમાં 3, પાટણમાં 2, ભાવનગર કોર્પોરેશન, દાહોદ, ગાંધીનગર, જામનગર કોર્પોરેશન અને સુરતમાં 1-1 કેસ નોંધાયા હતા. 


એક વાટકી ભાતના લાખો રૂપિયા ચુકવવા પડશે, વર્ષો સુધી બચત કરશો ત્યારે એક વાટકી ભાત મળશે


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 696 નાગરિકોને રસીનો પ્રથમ અને 17605 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના નાગરિકો પૈકી 122 ને રસીનો પ્રથમ અને 1266 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 20327 ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો. 12-14 વર્ષના નાગરિકો પૈકી 636 ને રસીનો પ્રથમ અને 5760 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 46,412 કુલ રસીના ડોઝ અને અત્યાર સુધીમાં કુલ 11,01,909,15 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube