ગાંધીનગર : ગુજરાતમાં PM મોદી આવે તે પહેલા કોરોના ઘૂંટણીયે પડી ચુક્યો હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં આજે કોરોનાના 57 કેસ નોંધાયા છે. તો બીજી તરપ 111 દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં 12,11,929 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.06 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 89,979 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહાદેવના પોઠીયા પી રહ્યા છે દુધ હવે પાટણમાં સોનું મુકો અને કલાકોમાં ડબલ સોનું પરત લઇ જાઓ પણ...


બીજી તરફ એક્ટિવ કેસની સંખ્યા પણ ખુબ જ ઘટી ચુકી છે. રાજ્યમાં હાલ કુલ 608 એક્ટિવ કેસ છે. જે પૈકી 02 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 606 સ્ટેબલ છે. આ ઉપરાંત 1211929 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે 10938 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. આજે કોરોનાના અમદાવાદ કોર્પોરેશનમાં 28, ભાવનગર કોર્પોરેશનમાં 4, ગાંધીનગર કોર્પોરેશનમાં 4, સુરત 3, વડોદરા કોર્પોરેશન 3, બનાસકાંઠા 2, ડાંગ 2, સુરત કોર્પોરેશન 2, વડોદરા 2 અને આણંદ, ભરૂચ, દાહોદ, ગાંધીનગર, ખેડા, કચ્છ અને રાજકોટ કોર્પોરેશનમાં 1-1 નાગરિકનું મોત થઇ ચુક્યું છે. 


અમદાવાદના પાંચ રાજ્યોમાં ભુંડા પરાજય બાદ ગુજરાત કોંગ્રેસનાં નેતાએ કહ્યું કે...


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 7784 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 40517 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 15-17 વર્ષના નાગરિકો પૈકી 2066 ને રસીનો પ્રથમ જ્યારે 28258 ને રસીનો બીજો ડોઝ અપાયો છે. આ ઉપરાંત 11354 નાગરિકોને પ્રિકોર્શન ડોઝ અપાઇ ચુક્યો છે. આ પ્રકારે આજે રસીના કુલ 89,979 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 10,38,09,555 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube