ગાંધીનગર : ગુજરાતમાં કોરોના ધીમે ધીમે ખમૈયા કરતો હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં કોરોનાના નવા 58 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ 112 દર્દીઓ રિકવર પણ થઇ ચુક્યાં છે. તો બીજી તરફ કોરોનાને 12,11,818 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.05 ટકાએ પહોંચી ચુક્યો છે. રાજ્ય સરકાર રસીકરણના મોરચે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 82,326 રસીના ડોઝ આપવામાં આવી ચુક્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં PM નો ભવ્ય કાર્યક્રમ: પોલીસની રડારમાંથી મચ્છર પણ છટકી નહી શકે, જડબેસલાક આયોજન


બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 662 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 657 નાગરિકો સ્ટેબલ છે. આ ઉપરાંત 1211818 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. તો બીજી તરફ 10938 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર છે કે, કોરોનાને કારણે આજે એક પણ નાગરિકનું મોત નથી થયું. અમદાવાદ કોર્પોરેશનમા 27, વડોદરા કોર્પોરેશન 7, ડાંગ 5, વડોદરા 4,  ગાંધીનગર 3, ગાંધીનગર કોર્પોરેશન 2, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર કોર્પોરેશન, છોટાઉદેપુર, દાહોદ, જામનગર, નવસારી, સુરત અને સુરત કોર્પોરેશનમાં 1-1 નવા કેસ નોંધાતા કુલ 58 કેસ નોંધાયા છે. 


સૌરાષ્ટ્રની ધરા ફરી એકવાર ધ્રુજી, અમરેલીમાં ધરતીકંપના આંચકાઓના પગલે લોકોમાં ભયનો માહોલ


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 5811 નાગરિકોને રસીનો પ્રથમ, 38812 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 15-17 વર્ષના નાગરિકો પૈકી 1637 ને રસીનો પ્રથમ અને 26144 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 9922 ને પ્રિકોર્શન ડોઝ અપાઇ ચુક્યાં છે. રસીના કુલ 82,326 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં કોરોનાના કુલ 10,37,19,576 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube