ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના કેસમાં રોજ મોટો વધારો ઘટાડો આવતો રહે છે. આજે રાજ્યમાં 60 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ 58 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,745 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવર રેટ પણ વધીને 98.71 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 2,40,943 નાગરિકોનું એક જ દિવસમાં રસીકરણ થઇ ચુક્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખ્યાતનામ કંપનીને કોકના બદલે કોલસો પકડાવીને કરોડોનું કૌભાંડ કરનારા ઝડપાયા


જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 581 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 576 નાગરિકો સ્ટેબલ છે. આ ઉપરાંત 8,17,745 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. આ ઉપરાંત 10101 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. આજે નવસારીનાં એક નાગરિકનું મોત થઇ ચુક્યું છે. રાજકોટ કોર્પોરેશન અને વડોદરા કોર્પોરેશનમાં 12-12 કેસ નોંધાયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 8, કચ્છ, 7, સુરત કોર્પોરેશન 5, જામનગર કોર્પોરેશન 3, નવસારી 3, વડોદરા-વલસાડમાં 2-2, ભરૂચ, ભાવનગર કોર્પોરેશનમાં, જુનાગઢ, મહેસાણા, પોરબંદર અને રાજકોટમાં 1-1 કેસ નોંધાયા છે. આ પ્રકારે કુલ 60 કેસ નોંધાયા છે. 


જમવામાં મીઠું નાખવા બાબતે થયેલી બબાલમાં એક મિત્રએ બીજાની હત્યા કરી નાખતા ચકચાર


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 29 ને પ્રથમ 816 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 6212 ને રસીનો પ્રથમ અને 56175 નાગરિકોને રસીના બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 22493 નાગરિકોને રસીનો પ્રથમ અને 155218 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં 2,40,943 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,67,33,126 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube