ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના નવા 61 નવા કેસ નોંધાતા ચકચાર મચી છે. તો બીજી તરફ 39 દર્દી રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,339 અત્યાર સુધીમાં કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ 98.74 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણ મુદ્દે પણ સરકાર મજબુતીથી આગળ વધી રહી છે. આજે કુલ રસીના 3,82,740 ડોઝ આપવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AHMEDABAD: ખાડાના કારણે જનતાના મણકા ભલે ભાંગી જાય પણ કોર્પોરેશનનાં અધિકારીના પેટનું પાણી ન હલવું જોઇએ


હાલ રાજ્યમાં કુલ 372 એક્ટિવ કેસ છે. જે પૈકી 09 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 363 નાગરિકો સ્ટેબલ છે. બીજી તરફ 8,17,339 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10095 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતની વાત છે કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. અમદાવાદ કોર્પોરેશનમાં 25, સુરત કોર્પોરેશન 7, ભાવનગર કોર્પોરેશન 6, વડોદરા કોર્પોરેશન 5, વલસાડ 4, જામનગર કોર્પોરેશન 3, ખેડા-નવસારીમાં 2-2 કેસ નોંધાયા, અમદાવાદ, આણંદ, ગાંધીનગર, જુનાગઢ, કચ્છ, રાજકોટ અને વડોદરામાં 1-1 કેસ નોંધાયા છે. આ પ્રકારે કુલ 61 કેસ નોંધાયા છે.


મેયર અને પોલીસ કમિશ્નર બંન્નેની સિંઘમગીરી, ઢોરના માલિક વિરુદ્ધ સીધો પાસા હેઠળ ગુનો દાખલ કર્યો


રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 21 ને રસીનો પ્રથમ, 1092 વર્કરને રસીનો બીજો ડોઝ, 45 વર્ષથી વધારે ઉંમરના 12335 નાગરિકોને રસીનો પ્રથમ, 87763 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 40345 નાગરિકોને રસીનો પ્રથમ, 241184 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 3,82,740 રસીના ડોઝ જ્યારે કુલ 8,35,26,458 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube