ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના આજે નવા 68 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 21 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,14,178 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 99.08 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 55,714 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VADODARA કોર્પોરેશન રેઢિયાળપણું, ચોમાસા પહેલા સેંકડો લોકોના જીવ જોખમમાં મુકાયા


બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 340 એક્ટિવ કેસ છે. જે પૈકી કોઇ પણ નાગરિક વેન્ટિલેટર પર નથી. તમામ 340 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,14,178 નાગરિકો કોરોનાને હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ 10,944 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 42, વડોદરા કોર્પોરેશનમાં 8, રાજકોટ કોર્પોરેશનમાં 4, વડોદરા 3, કચ્છ, મહેસાણા અને સુરત કોર્પોરેશનમાં 2-2 કેસ અને ભાવનગર કોર્પોરેશન, ગાંધીનગર કોર્પોરેશન અને મોરબીમાં 1-1 કેસ નોંધાયા છે.


SURAT માં 3 શંકાસ્પદ બાંગ્લાદેશી યુવતી ઝડપાઇ, પોલીસને ઉલ્લુ બનાવી ફરાર થઇ પછી...


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 779 નાગરિકોને રસીનો પ્રથમ અને 20309 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના નાગરિકો પૈકી 128 ને રસીનો પ્રથમ અને 1397 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 25578 ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો. 12-14 વર્ષના નાગરિકો પૈકી 648 ને રસીનો પ્રથમ અને 6875 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 55,714 કુલ રસીના ડોઝ અને અત્યાર સુધીમાં કુલ 11,02,00,217 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube