ગાંધીનગર : ગુજરાતમાં આજે કોરોના નવા 870 નવા કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 2221 દર્દીઓ સાજા પણ થયા હતા. અત્યાર સુધીમાં કુલ 12,00,204 દર્દીઓ રિકવર થઇ ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 98.45 ટકાએ પહોંચી ચુક્યું છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 1,82,549 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં હાલ કુલ 8014 કુલ એક્ટિવ કેસ છે જે પૈકી 53 નાગરિકો વેન્ટીલેટર પર છે. 7961 નાગરિકો સ્ટેબલ છે. જ્યારે 1200204 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. 10864 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત થઇ ચુક્યાં છે. 13 નાગરિકોનાં આજે મોત થયા છે. 


રસીકરણના મોરચે સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 20 ને પ્રથમ અને 42 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 2307 ને રસીનો પ્રથમ અને 12656 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 12483 ને રસીનો પ્રથમ અને 57218 ને રસીનો બીજો ડોઝ અપાયો છે. 15-18 વર્ષના નાગરિકો પૈકી 8452 ને રસીનો પ્રથમ અને 62760 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 26611 ને પ્રીકોર્શન ડોઝ અપાઇ ચુક્યાં છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 1,82,549 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10,17,45,636 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube