ગાંધીનગર : રાજ્યમાં આજે કોરોનાના નવા 9 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 6 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,12,932 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.10 ટકાએ પહોંચી ચુક્યો છે. રાજ્યમાં આજના દિવસમાં કુલ 35,616 રસીના ડોઝ અપાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વખતે બોર્ડના વિદ્યાર્થીઓનું પરિણામ જ નહી આવે! સરકારની એક ભુલના કારણે પરિણામ નહી આવે


બીજી તરફ જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 67 એક્ટિવ કેસ છે. જો કે સુખદ બાબત કહી શકાય કે આજે એક પણ નાગરિક વેન્ટિલેટર પર નથી. આ ઉપરાંત અત્યાર સુધીમાં 12,12,932 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 10,942 નાગરિકોના મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે આજે એક પણ નાગરિકનું મોત નથી નિપજ્યું. અમદાવાદ કોર્પોરેશનમાં 3, દાહોદ-વડોદરામાં 2-2 અને ગાંધીનગર તથા વડોદરા કોર્પોરેશનમાં 1-1 કેસ નોંધાયા છે. 


ગુજરાતમાં ખેડૂત હોવું એ જ હવે તો શ્રાપ છે, વિજળી મળે તો પાણી નહી અને પાણી મળે તો પાક નહી


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષ વધારેની ઉંમરના 185 ને પ્રથમ જ્યારે 2640 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 15-17 વર્ષના નાગરિકો પૈકી 49 ને રસીો પ્રથમ જ્યારે 510 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 1039 ને પ્રિકોર્શન અને 12-14 વર્ષના તરૂણો પૈકી 353 ને રસીનો પ્રથમ ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 4776 રસીના ડોઝ તથા 10,62,61,463 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube