અમદાવાદ: રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ઘટી રહી છે. આજે 975 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1022 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે 6 લોકોના કોરોનાથી મોત થયા છે. જો કે રાજ્યમાં કુલ કોરોના દર્દીઓનો આંક 1,76,608 પર પહોંચ્યો છે. જેમાં કુલ રિકવર દર્દીઓ 1,60,470 છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 3,740 પર પહોંચ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- અમદાવાદમાં ભીષણ આગમાં 10 કામદારોના મોત, PM મોદીએ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું


કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સઘન પ્રયાસોના પરિણામે કોરોના વાયરસના સંક્રમણનું પ્રમાણ ઘટ્યું છે. આજે રાજ્યમાં કુલ 51,572 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 793.42 ટેસ્ટ પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 62,62,122 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કુલ 975 કેસ નોંધાયેલા છે. આજ રોજ 1,022 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,60,470 દર્દીઓ સાજા થયા છે અને સાજા થવાનો દર રાજ્યનો 90.86 ટકા છે.


આ પણ વાંચો:- અમદાવાદમાં ભીષણ આગ: CM રૂપાણીએ મૃતકોના પરિવારને 4-4 લાખ રૂપિયાની સહાય કરી જાહેર


રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 5,03,927 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 5,03,814 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 113 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.


આ પણ વાંચો:- અમદાવાદમાં કપડાના ગોડાઉનમાં બ્લાસ્ટ, જુઓ ઘટના સ્થળના CCTV ફૂટેજ


જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 12,398 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 94 છે. જ્યારે 12,334 લોકો સ્ટેબલ છે. 1,60,470 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 3,740 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 6 લોકોનાં મોત નિપજ્યાં છે. અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 2 અને વડોદરા કોર્પોરેશનમાં 1 સહિત કુલ 6 લોકોનાં મોત નિપજ્યાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube