ગાંધીનગર : ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે, કોરોનાની બીજી લહેર પહેલા કરતા વધારે ભયાનક હોય તે પ્રકારે રોજેરોજ આંકઓ પોતાનો જ બનાવેલો રેકોર્ડ તોડી રહ્યા છે. ગુજરાતમાં આજે રેકોર્ડબ્રેક 5011 કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. સતત રસીકરણ છતા કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો. રાજ્યમાં 5011 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 2525 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 3,12,151 દર્દીઓ કોરોનાને મહાત્મ આપી ચુક્યા છે. જો કે રાજ્યનો રિકવરી રેટ આજે પણ ઘટ્યો હતો અને 91.27 ટકાએ પહોંચ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં આવું પણ બને? ભેંસ મુદ્દે થયેલી માથાકુટમાં યુવકને ગોળી મારી દીધી અને...


અત્યાર સુધીમાં 78,71,091 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 10,31,634 વ્યક્તિઓનું બીજા ડોઝની રસી અપાઇ ચુકી છે. આ પ્રકારે કુલ 89,027,25 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા. આજે 60 વર્ષથી વધારે વયના તેમજ 45-60 વર્ષનાં કુલ 2,34,272 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 43,474 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી. 


ગુજરાતનાં આટલાં શહેરોમાં કર્ફ્યૂનો સમય વધારાયો, સાંજે 4થી સવારે 6, કલેક્ટર સાથે મુલાકાત બાદ સ્વયંભૂ નિર્ણય


રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 25,129 એક્ટિવ દર્દી છે, જે પૈકી 192 લોકો વેન્ટિલેટર પર છે અને 24,937 લોકો સ્ટેબલ છે. 3,12,151 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. 4746 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે 49 લોકોનાં દુખદ નિધન થયા છે. જેમાં સુરત કોર્પોરેશન 15, અમદાવાદ કોર્પોરેશન 14, રાજકોટ કોર્પોરેશન 8, વડોદરા કોર્પોરેશન 4, અમદાવાદ 2, સુરેન્દ્રનગર 2, છોટાઉદેપુર, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન અને સુરતમાં 1-1 વ્યક્તિનાં મોત નિપજ્યાં છે. આ પ્રકારે કુલ 49 લોકોનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે. 


.લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube