Corona Update: ગુજરાતમાં કેવી છે કોરોનાની સ્થિતિ, જાણો આજે કેટલા નોંધાયા નવા કેસ
ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા 158 છે, જેમાં 4 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને 154 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો રિકવરી રેટ 98.76 ટકાએ પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10 હજાર 82 લોકોના મૃત્યુ થયા છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 20 કેસ નોંધાયા છે. રાહતની વાત છે કે આ દરમિયાન એકપણ દર્દીના મૃત્યુ થયા નથી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 18 દર્દીઓ સાજા થયા છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ કેસની સંખ્યા 8 લાખ 15 હજાર 936 થઈ ગયા છે. રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10 હજાર 82 લોકોના મૃત્યુ થયા છે. તો કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 8 લાખ 15 હજાર 696 લોકો સાજા થયા છે.
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત
છેલ્લા 24 કલાકમાં વલસાડમાં સૌથી વધુ 6 કેસ સામે આવ્યા છે. સુરત શહેરમાં 5, અમદાવાદ શહેરમાં 3, વડોદરા શહેરમાં 2, આણંદમાં 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, નવસારીમાં 1, સુરત ગ્રામ્યમાં 1, કેસ નોંધાયા છે.
રાજ્યમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા 158 છે, જેમાં 4 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને 154 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો રિકવરી રેટ 98.76 ટકાએ પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10 હજાર 82 લોકોના મૃત્યુ થયા છે. તો કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 8 લાખ 15 હજાર 696 લોકો સાજા થયા છે.
ગુજરાતમાં રસીકરણની સ્થિતિ
કોરોના સંક્રમણ સામે રક્ષણ મેળવવા માટે રાજ્યમાં રસીકરણ અભિયાન મોટા પાયે ચાલી રહ્યું છે. આજે સાંજે 4 કલાક સુધીમાં કુલ 4 લાખ 24 હજાર 219 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 6 કરોડ 9 લાખ 93 હજાર 452 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં પ્રથમ અને બીજો ડોઝ સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube