ગાંધીનગર :  ગુજરાતમાં કોરોના રોજેરોજ ફૂંફાડા મારી રહ્યો હોય તેવી સ્થિતિ છે. તેવામાં રાજ્યમાં કોરોનાના રોજ નવા 20 હજારથી પણ વધારે કેસ આવી રહ્યા છે. જો કે આજે કોરોનાના કેસમાં આંશિક રાહત મળી હતી. રાજ્યમાં આજે 21,225 નવા કેસ નોંધાયા હતા. જે કાલની તુલનાએ ઓછા હતા. જેને આંશિક રાહત કહી શકાય. બીજી તરફ 9245 દર્દીઓ સાજા પણ થયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,95,730 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યનો રિકવરી રેટ પણ ઘટીને 98.58 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રાજ્યના રસીકરણ મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 2,10,600રસીના ડોઝ અપાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT CORONA UPDATE: કોરોનાના કેસમાં ઘટાડો પણ મૃતકોની સંખ્યામાં વધારો, જાણો લેટેસ્ટ આંકડા


આ ઉપરાંત એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં 116843 એક્ટિવ કેસ છે. જે પૈકી 172 વેન્ટીલેટર પર છે જ્યારે 116691 નાગરિકો સ્ટેબલ છે. આ ઉપરાંત આજે 8,95,730 નાગરિકો ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 10215 નાગરિકોનાં મોત પણ તઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 16 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 8, વડોદરા કોર્પોરેશન 1, સુરત કોર્પોરેશન 2, સુરત 2, વડોદરા 1, ખેડા 1 અને ભાવનગરમાં 1 નાગરિકનું મોત થયું છે. અત્યાર સુધીમાં કુલ 16 નાગરિકોનાં મોત થયા છે. 



(કોરોનાના નવા નોંધાયેલા કેસ, થયેલા મોત, આજના ડિસ્ચાર્જ અને રસીકરણના આંકડાની વિગતો)


GUJARAT: અડધા ગુજરાતમાં રાત્રી કર્ફ્યૂ લાગુ, નવી ગાઇડ લાઇન અંગે ઝડપથી જાણો સૌથી પહેલા


આ ઉપરાંત રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડીર હી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 30 ને રસીનો પ્રથમ, 459 વર્કરને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારીને ઉંમરના 5354 ને રસીનો પ્રથમ અને 24594ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 27654 ને રસીનો પ્રથમ અને 64065 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે.  15-18 વર્ષના 36330 નાગરિકોને રસીના ડોઝ અપાયા હતા. 52114  નાગરિકોને પ્રિકોર્શન ડોઝ અપાઇ ચુક્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube