ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના કેસ હવે કાબુમાં આવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યમાં આજે કોરોનાના કેસ ઘટીને 9177 કેસ નોંધાયા હતા. 5404 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ 846375 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે રિકવરી રેટ પણ ઘટીને 92.39 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 1,76,918 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


(રસીકરણના આંકડા)


દિકરીએ કહ્યું પપ્પા મમ્મી દરવાજો નથી ખોલતી, પિતાએ દરવાજો તોડ્યો અને અંદર...


જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં 59564 એક્ટિવ દર્દી છે. જે પૈકી 60 વેન્ટિલેટર પર છે. 59504 નાગરિકો સ્ટેબલ છે. 8,46,375 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. 10151 નાગરિકોનાં અત્યાર સુધી કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 7 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશન 2, સુરત 1, નવસારી 1, રાજકોટ 1 સહિત કુલ 7 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. 



(આજના દિવસમાં કોરોનાના નોંધાયેલા કુલ કેસ)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube