ગાંધીનગર: ગુજરાતમાં આજે કોરોનાના નવા 15 કેસ નોંધાયા છે તો બીજી તરફ 21 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 12,13,095 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.10 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે રસીનાં કુલ 6,745 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલ રાજ્યમાં કુલ 120 એક્ટિવ કેસ છે. જો કે એક પણ નાગરિક વેન્ટિલેટર પર નથી. તો બીજી તરફ 120 નાગરિકો સ્ટેબલ છે. 12,13,095 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 10,942 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. આજે એક પણ નાગરિકનું કોરોનાને કારણે મોત નથી નિપજ્યું જે રાહતના સમાચાર કહી શકાય. આજે અમદાવાદ કોર્પોરેશનમાં 8, વડોદરા કોર્પોરેશનમાં 4 ગાંધીનગર કોર્પોરેશનમાં 2, અને ભાવનગર કોર્પોરેશનમાં 1 કોરોના કેસ નોંધાયો છે.


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 167 નાગરિકોને રસીનો પ્રથમ અને 1829 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના નાગરિકો પૈકી 43 ને રસીનો પ્રથમ અને 576 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 1609 નાગરિકોને પ્રિકોર્શન ડોઝ અપાયા હતા. 12-14 વર્ષના નાગરિકો પૈકી 520 ને રસીનો પ્રથમ અને 2001 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 6,745 કુલ રસીના ડોઝ આજના દિવસમાં અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 10,67,19,157 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube