અમદાવાદ : રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચ્યો હતો. જો કે અચાનક નાટ્યાત્મક રીતે સરકારે ટેસ્ટમાં ઘટાડો કરતા હવે કોરોનાના કેસમાં પણ ઘટાડો નોંધાયો છે. સરકારે જાણે કોરોનાને કાબુમાં લેવાની અક્સીર દવા શોધી કાઢી છે. ટેસ્ટ ઘટાડો દર્દીઓની સંખ્યા આપોઆપ ઘટી જશે. આજે રાજ્યમાં 996 નવા દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ રાજ્યમાં 1147 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,42,799 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 88.85 ટકા થઇ ચુક્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ કોર્પોરેશનના વિપક્ષી નેતા દિનેશ શર્માએ વિપક્ષના નેતા તરીકે આપ્યું રાજીનામું


રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 52,192 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 802.95 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 54,26,621 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 996 કેસ નોંધાયા છે. જ્યારે 1147 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,42,799 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 88.85% ટકા છે.


કરોડપતિ ક્લાર્ક: બાહુબલી 2000 કરોડનો આસામી, IAS અધિકારીઓને ચપટીઓમાં બદલી કરાવતો ક્લાર્ક !


રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 5,44,943 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 5,44,661 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 282 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રિકવરી રેટ 88.85 ટકા છે જે ખુબ જ સારો હોવાનું સરકાર દ્વારા જણાવવામાં આવી રહ્યા છે.


એક તરફી પ્રેમમાં પાગલ યુવતીએ પ્રેમીની પત્નીને ફટકારી, પોલીસની સામે હાથની નસો કાપી અને પછી...


જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 14277 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 71 છે. જ્યારે 14206 લોકો સ્ટેબલ છે. 1,42,799 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 3646 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 08 લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનના 3, સુરત કોર્પોરેશન 2, સુરત 1, વડોદરા 1 અને વડોદરા કોર્પોરેશનના 1 સહિત કુલ 8 લોકોનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે. આ રીતે ગુજરાતમાં કોરોનાને કારણે 08 લોકોનાં મોત નિપજ્યાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube