ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના નવા 13 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 33 દર્દીઓ રિકવર થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,110 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે ગુજરાતનો કોરોના રિકવરી રેટ પણ સુધરીને 98.76 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 3,53,069 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 156 એક્ટિવ કેસ છે. જે પૈકી 04 નાગરિકો વેન્ટીલેટર પર છે. 152 સ્ટેબલ છે. 8,16,110 નાગરિકો અત્યાર સુધીમાં કોરોનાને હરાવી ચુક્યા છે. 10087 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને મોત નિપજ્યાં છે. આજે એક પણ વ્યક્તિનું મોત થયું નથી. વલસાડમાં 6 કેસ આવ્યા છે. નવસારીમાં 2 કેસ આવ્યા છે. જામનગરમાં 1 કેસ નોંધાયા છે. અમદાવાદ અને સુરત કોર્પોરેશનમાં 2-2 કેસ સામે આવ્યા છે. આ પ્રકારે કુલ 13 કેસ આવ્યા છે.


રસીકરણના મોરચે પણ સરકાર સતત મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 9 ને પ્રથમ જ્યારે 2002 વર્કર્સને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 17739 નાગરિકોને રસીનો પ્રથમ, જ્યારે 82257 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષ સુધીના 53219 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 197843 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે કુલ 3,53,069 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં 6,80,00,970 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube