ગાંધીનગર : ગુજરાતમાં છેલ્લા લાંબા સમયથી કોરોનાના કેસ બેકાબુ થયા હોય તેવી રીતે વધી રહ્યા હતા. જો કે અચાનક ત્યાર બાદ ઘટવા પણ લાગ્યા હતા. ગુજરાતમાં આજે કોરોનાના 9395 કેસ નોંધાયા હતા. જે અત્યાર સુધીની તુલનાએ ખુબ જ ઓછા હતા. બીજી તરફ 16066 દર્દીઓ રિકવર પણ થયા હતા. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 10,52,222 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 91.18 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 88,117 નાગરિકોનું રસીકરણ કરાયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં રાજ્યમાં 91329 એક્ટિવ કેસ છે. જે પૈકી 278 વેન્ટિલેટર પર છે. જ્યારે 91042 નાગરિકો સ્ટેબલ છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં 1052222 ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 10438 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 30 નાગરિકોનાં મોત થયા હતા. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 8, વડોદરા કોર્પોરેશન 3, રાજકોટ કોર્પોરેશન 3, સુરત કોર્પોરેશન 3, રાજકોટ 1, સુરત 3, મહેસાણા 1, ગાંધીનગર 1, અમદાવાદ 1, ભરૂચમાં 3, જામનગર કોર્પોરેશન 1, મોરબી 1 અને જામનગરમાં 1 સહિત કુલ 30 લોકોનાં મોત થયા છે. 


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 9 ને પ્રથમ 870 ને બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 2774 ને પ્રથમ અને 11850 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 11692 ને પ્રથમ 32637 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના 10681 ને પ્રથમ અને 17604 લોકોને પ્રીકોર્શન ડોઝ અપાયા હતા. આ પ્રકારે આજના દિવસમાં કુલ 88,117 રસીના ડોઝ આજે અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 9,76,86,839 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube