ગાંધીનગર : ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે, કોરોનાની બીજી લહેર પહેલા કરતા વધારે ભયાનક હોય તે પ્રકારે રોજેરોજ આંકઓ પોતાનો જ બનાવેલો રેકોર્ડ તોડી રહ્યા છે. ગુજરાતમાં આજે રેકોર્ડબ્રેક 4541 કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. સતત રસીકરણ છતા કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો. રાજ્યમાં 4541 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ 2280 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 3,09,626 દર્દીઓ કોરોનાને મહાત્મ આપી ચુક્યા છે. જો કે રાજ્યનો રિકવરી રેટ આજે પણ ઘટ્યો હતો અને 91.87 ટકાએ પહોંચ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકાર તો સરકાર BJP દ્વારા 5000 રેમેડેસીવિર ઇન્જેક્શનની વ્યવસ્થા કરવામાં આવી: પાટીલ


અત્યાર સુધીમાં 76,30,525 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 9,84,583 વ્યક્તિઓનું બીજા ડોઝની રસી અપાઇ ચુકી છે. આ પ્રકારે કુલ 86,15,108 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા. આજે 60 વર્ષથી વધારે વયના તેમજ 45-60 વર્ષનાં કુલ 2,24,301 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 50,455 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી. 


ગુજરાતમાં ફરી થઇ રહ્યું છે લોકડાઉન? VIRAL થઇ રહેલા પત્રનું શું છે સત્ય!


રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 22,692 એક્ટિવ દર્દી છે, જે પૈકી 187 લોકો વેન્ટિલેટર પર છે અને 22,505 લોકો સ્ટેબલ છે. 3,09,626 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. 4697 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે 42 લોકોનાં દુખદ નિધન થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 12, સુરત કોર્પોરેશનમાં 14, વડોદરા કોર્પોરેશનમાં 4, રાજકોટ કોર્પોરેશન 3, વડોદરા 2, ભાવનગર 1, છોટાઉદેપુર 1, દાહોદ 1, ગાંધીનગર કોર્પોરેશન 1, જામનગર કોર્પોરેશન 1, રાજકોટ 1 અને સુરતમાં 1 આ પ્રકારે કુલ 42 લોકોનાં ગુજરાતમાં મોત નિપજ્યાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube