ગાંધીનગર : ગુજરાતમાં તહેવારોની સિઝન જતાની સાથે જકોરોનાના કેસોમાં અચાનક ઉછાળો જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસથી 40 અથવા તો તેનાથી વધારે એક સામે આવી રહ્યા છે. આજે પણ રાજ્યમાં 21 નવા કેસ સામે આવ્યા હતા. બીજી તરફ 35 દર્દીઓ સાજા થઇને ઘરે ગયા હતા. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.75 ટકાએ પહોંચી ચુક્યો છે. અત્યાર સુધીમાં કુલ 8,16,577 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં જેને ઇંડા વેચવા હોય તે શહેર બહાર જતા રહે, હું છું ત્યાં સુધી તો શહેરમાં લારી નહી રહેવા દઉ


જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 220 એક્ટિવ કેસ છે. જે પૈકી 06 નાગરિકો વેન્ટીલેટર પર છે. 214 નાગરિકો સ્ટેબલ છે. 8,16,577 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. 10090 નાગરિકોનાં અત્યાર સુધીમાં મોત થઇ ચુક્યા છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે આજે એક પણ નાગરિકનું મોત નથી થયું. નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો રાજ્યમાં વડોદરા કોર્પોરેશનમાં 6, સુરત કોર્પોરેશન અને વલસાડ 3-3 કેસ, અમદાવાદ કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન અને રાજકોટ કોર્પોરેશનમાં 2-2 કેસ, જુનાગઢ, કચ્છ અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયા હતા. આ પ્રકારે કુલ 21 કેસ નોંધાયા હતા. 


લારીઓ જે જગ્યા પર ઉભી રહે છે તે કોઇની બાપીકી મિલકત નથી, સરકાર ઇચ્છે તો દબાણ હટાવી શકે


તો બીજી તરફ રસીકરણના મોરચે પણ હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 5ને પ્રથમ ડોઝ, 1724 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 8679 નાગરિકોને રસીનો પ્રથમ અને 103856 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 26551 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 281934 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે કુલ 422749 નાગરિકોનું રસીકરણ આજના દિવસમાં થયું હતું. અત્યાર સુધીમાં કુલ 73754301 નાગરિકોનું રસીકરણ થઇ ચુક્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube