ગાંધીનગર : ગુજરાતમાં આજે કોરોનાના નવા 22 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 35 દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 8,16, 805 નાગરિકો અત્યાર સુધીમાં કોરોનાને મ્હાત આપી ચુકી છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ 98.74 ટકાએ પહોંચ્યો છે. આજના દિવસમાં કુલ 1,26,420 રસીના ડોઝ પણ આપવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘરકંકાસે લીધા ત્રણ જીવ: ચલાલામાં માતાએ પોતાનાં બે બાળકો સાથે કર્યું અગ્નિસ્નાન


જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 310  એક્ટિવ કેસ છે. જે પૈકી 03 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 307 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8,16,805 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. 10091 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર છે કે, આજે એક પણ નાગરિકનું મોત નથી થયું. આજે વડોદરા કોર્પોરેશનમાં 8, અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 3, રાજકોટ 2, રાજકોટ કોર્પોરેશન 2, વલસાડ 2 અને નર્મદામાં 1 નવા કેસ નોંધાયા છે. આ પ્રકારે કુલ 22 કેસ નોંધાયા છે.


બિલ્ડરે ગર્લફ્રેંડને કહ્યું, હવે મને તારામાં રસ નથી તારો રસ ચુસવાનો હતો તે ચુસાઇ ગયો હવે જતી રહે


જો રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેરવર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 5ને પ્રથણ જ્યારે 760 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 4394 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 29324 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 13300 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 78637 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ રીતે આજના દિવસમાં 1,26,420 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 7,71,06,234 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube