ઝી ન્યૂઝ/ ગાંધીનગર: ગુજરાતમાં તહેવારો ટાણે આજે અચાનક કોરોનાના કેસમાં વધારો નોધાયો છે. રાજ્યમાં હાલમાં કોરોનાના નવા 23 પોઝિટીવ કેસ નોંધાયા છે. તો બીજી તરફ 12 દર્દીઓ સાજા થઈને પોતાના ઘરે પહોંચ્યા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,232 નાગરિકોએ કોરોનાને મ્હાત પણ આપી ચુક્યા છે. જેના પગલે કોરોનાનો સાજા થવાનો દર પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 3,10,581 રસીના ડોઝ અપાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં હાલ કુલ 184 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 નાગરિકો વેન્ટિલેટર પર છે. 179 નાગરિકો સ્ટેબલ છે. 8,16,232 નાગરિકો અત્યાર સુધીમાં ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. 10088 નાગરિકોના કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે. જો કે રાહતના સમાચાર છે કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત થયું નથી. આજે કોરોનાના કેસની વાત કરીએ તો વડોદરા કોર્પોરેશનમાં સૌથી વધુ 7 કેસ નોંધાયા છે, જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 3, રાજકોટ કોર્પોરેશન અને વલસાડમાં 2-2, આણંદ, કચ્છ, સાબરકાંઠા, સુરત, વડદોરામાં 1-1-1-1-1 કેસ નોંધાયો છે.


દાહોદની ડાકણનો વીડિયો થયો વાયરલ! અંધશ્રદ્ધાના ભૂતે તંત્રને દોડતું કર્યું


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજના દિવસમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 4ને રસીનો પ્રથમ જ્યારે 1243ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 14448 નાગરિકોને રસીનો પ્રથમ અને 70813 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 43406 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 180667 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 310581 રસીના ડોઝ એક જ દિવસમાં અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 6,98,88,548 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube